Wednesday 28 June 2017

૨૬ મી એપ્રિલ

 ડૉ. શ્રીનિવાસ રામાનુજન

          ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ તમિલનાડુ પાસેના એક ગામડામાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા અને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતમાં પ્રશ્નોના ઉત્તર માટે નવી નવી તરકીબ કરતા હતા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓની યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ગણિતજ્ઞ છે. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓએ તેમનું વારંવાર ભવ્ય સન્માન કર્યું કે આવું સન્માન ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. માત્ર ૩૨ વર્ષની વયે આ મહાન ગણિતજ્ઞનું ૨૬.૦૪.૧૯૨૦ ના રોજ અવસાન થયું.

No comments: