Saturday 22 April 2017

૨૨ મી એપ્રિલ

મુરલીધર ઠાકુર

              ગુજરાતી કવિ મુરલીધર ઠાકુરનો જન્મ ઇડર પાસેના સુવેર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી, ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સ્થિતી સારી ન હોવાથી છતાં યાતનાઓ વેઢી આપમેળે જ કૉલેજનું શિક્ષણ મેળવ્યું. અને મુંબઇની કૉલેજમાં પ્રધ્યાપક તરીકે કાર્યરત થયા.
        પ્રકાશન કાર્ય, ફિલ્મ સેન્સર બોર્ડમાં સભ્યપદ અને મુંબઇના આકાશવાણીના ગુજરાતી વિભાગનું નિર્માદાપદ એમ વિવિધ ક્ષેત્રે પોતાના વ્યક્તિત્વની મહેકથી આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરી. જે કાર્ય હાથમાં લે તેને દઢ્ આત્મવિશ્વાસથી પાર પાડતા. રેડિયો સ્ટેશન પર જ તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો. સારવાર કારગત ન નીવડતાં ૨૨.૦૪.૧૯૭૫ ના રોજ તેમનું અવસાન થયું.


No comments: