Thursday 20 April 2017

૧૮ મી એપ્રિલ

ચાર્લ્સ ડાર્વિન


           ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ઇ.સ. ૧૮૦૯ માં ઇંગલેન્ડમાં થયો હતો. બાળપણથી જ ચાર્લ્સ ની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની અને નોંધ કરવાની આવડત અદભૂત હતી. તેમનું પુસ્તક જાતિઓની ઉત્પતિ માં રજૂ થયેલા તદ્દન નવા વિચારોથી સનસનાટી વ્યાપી ગઇ. માણસ વાનરનો વંશજ છે તે વાત લોકો કેમ સહન કરી શકે? ડાર્વિનના આ સિદ્ધાંતની ખ્રિસ્તી ધર્મની સર્જન વિશેની જૂની માન્યતાના મૂળમાં પણ ઘા પડ્યો. પ્રાચીનતમ સમયમાં ઘેટાં, બકરાં ને ઘોડાની માફક મનુષ્ય અને વાનરનો પણ એક સામાન્ય પૂર્વજ હતો એ ડાર્વિનના સિદ્ધાંતનો કેન્દ્ર વિચાર છે. તેમણે સાબિત કર્યું કે માનવીની ઉત્ક્રાંતિ દરમિયાન તેના મગજનો વિકાસ થયો. તેમણે છેલ્લા શ્વાસ સુધી પ્રકૃતિનો ભેદ જાણવાનું કાર્ય ચાલું રાખ્યું. તા. ૧૮.૦૪.૧૮૮૨ માં તેમનું અવસાન થયું.  

No comments: