Thursday 20 April 2017

૨૦ મી એપ્રિલ

પન્નાલાલ ઘોષ


               બાંસુરીના સગીત સ્વામી પન્નાલાલ ઘોષનો જન્મ પૂર્વ બંગાળના બરિસાલ જિલ્લામાં થયો હતો. બાળપણથી જ તેમને સંગીતની લગની લાગી હતી. વળી વારસામાં જ તેમને સંગીત મળ્યું હતું. જુદા જુદા કલાગુરૂઓ પાસેથી સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી. તે દરમિયાન તેઓ આકાશવાણીના કલકત્તા વિભાગમાં આર્ટિસ્ટ તરીકે જોડાયા હતા. ગાંધીજી પણ પન્નાલાલ ઘોષના બંસીવાદનથી મુગ્ધ થયા હતા. પન્નાલાલને પોતાના હસ્તાક્ષરમાં પ્રમાણપત્ર પણ આપ્યું હતું. ખયાલ, ઠુમરી, ખટક, મુરકી વગેરે રાગો ઉતારી વાંસળીમાં આ બધુ વગાડીને બંસરીને આદરપાત્ર બનાવી હતી. ૨૦.૦૪.૧૯૬૦ ના રોજ તેમનું અવસાન થયું. 

No comments: