Sunday 23 April 2017

૨૩ મી એપ્રિલ

વિલિયમ શેક્સપિયર


           મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયરનો જન્મ તા.૨૩.૦૪.૧૫૬૪ ના રોજ ઇંગ્લેન્ડના સ્ટ્રેટહોર્ડ ગામમાં થયો હતો. પિતાને આર્થિક ટેકો મળે તે માટે વિલિયમ નોકરી ધંધામાં જોડાયા. તે દરમિયાન લંડનની એક સારી ગણાતી કંપનીમાં તેમને થોડું મનગમતું કામ મળી ગયું. નાટક લખવાની ઇચ્છા થઇ અને જુદા જુદા થિયેટરોમાં થોડી ઘણી કલમ ઘસ્યા પછી ગ્લોબ થિયેટરમાં તેમની કલમ ઝળકી. મેકથેબ, જુલિયસ સિઝર, ઑથેલો, હેમ્લેટ, રોમિયો અને જુલિયેટ, કિંગલીઅર વગેરે તેમની સર્વશ્રેષ્ઠ કૃતિઓ છે. સર્વકાળના સર્વશ્રેષ્ઠ કવિ તરીકે પોતાની નામના તેમણે અંકિત કરી. ૩૭ નાટકો અને ૧૫૪ સૉનેટોની વિપુલ સાહિત્ય સમૃદ્ધિ મૂકી. પોતાની જન્મતારીખ એપ્રિલની ૨૩ તારીખે ઇ.સ. ૧૬૧૬ માં શેક્સપિયરે આ જગતમાંથી વિદાય લીધી. 

No comments: