Thursday 13 April 2017

૧૪ મી એપ્રિલ

ડૉ. ભીમરાવ આંબેડકર

         દલિત ઉદ્ધારક ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના એક ગામમાં તા. ૧૪.૦૪.૧૮૯૧ ના રોજ થયો હતો. બી.એ. થયા પછી વડોદરા રાજ્યની આર્થિક સહાયથી અમેરિકા જઇ પી.એચ.ડી. થયા અને તેમણે મંબઇ હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરી. લંડનમાં ભરાયેલી ત્રણ ગોળમેજી પરિષદોમાં અંત્યજોના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. પૂના કરાર મુજબ હરિજનોને અનામત બેઠકો તેમણે અપાવી હતી કાયદા પ્રધાન હોવાને નાતે તેમણે માત્ર અછૂતોના હિત માટે નહિ પરંતું સમગ્ર ભારતવાસીઓને નજર સમક્ષ રાખીને વિશ્વમાં અજોડ કહી શકાય એવું બંધારણ ઘડી કાઢ્યું. એમના જીવનના ત્રણ આધારભૂત સિદ્ધાંતો હતા. શિક્ષિત બનો’, સંગઢિતબનો’, અને સંઘર્ષ કરો’.
          તેઓ કહેતા: સમાજે મારો બહિષ્કાર કર્યો છે પણ મને હ્રદયમાં સ્થાન આપ્યું છે. ભારત સરકારે તેમને મરણોત્તર ભારતરત્ન ખિતાબ અર્પણ કર્યો. ઇ.સ. ૧૯૫૬ ના એક દિવસે પોતાના અંતિમ પુસ્તક ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ ની પ્રસ્તાવના લખીને સૂઇ ગયા એ એમનો અંતિમ શ્વાસ હતો.


No comments: