Sunday 11 December 2016

૨૭ મી ડિસેમ્બર

મિરઝા ગાલિબ

              ઉર્દૂ કવિતાને અદભૂત રંગ આપનાર, ભવ્યશાયર મિરઝા ગાલિબનો જન્મ તા. ૨૭/૧૨/૧૭૯૭ ના રોજ થયો હતો. બાળપણથી જ તેને શાયરીનો શોખ હતો. ધીરે ધીરે તેમની કવિતા તીખી અને વ્યંગમય બનતી ગઇ. નવા શબ્દો અને નવીન પ્રયોગો દ્વારા ગઝલને ઉન્નતિની ટોચ પર મૂકી છે. ગાલીબે શાયરીની ચીલાચાલુ રસમ તોડફોડીને ઊર્દૂ ગઝલને નૂતન પહેરવેશ આપ્યો હતો. ઊર્દૂ ગઝલમાં જિંદગી વિશે વાતો લખી, તેમણે ગઝલને શણગારી છે. ઇ.સ. ૧૮૬૯માં  તેમો નશ્વરદેહ નષ્ટ થયો. 

No comments: