Thursday 5 November 2015

૩૧ મી ઓક્ટોબર

સરદાર વલ્લભાઇ પટેલ

          ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ જેવા બિરુદો વડે બિરદાવાયેલા ગુર્જરરત્ન વલ્લભભાઇ પટેલનો જન્મ તા. ૩૧-૦૧-૧૮૭૫ માં રોજ કરમસદમાં થયો હતો. પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે, આદર્શ વકીલ તરીકે તેઓ આજીવન સત્ય અને ન્યાયનો પક્ષ લેતા રહ્યા. ભારતીય સ્વાધીનતાના ઉષાકાળમાં નાયબ વડાપ્રધાન પદની સાથે ગૃહખાતુ અને માહિતીખાતા જેવા અગત્યના વિભાગો સંભાળીને સરદારશ્રીએ આપણને જે માર્ગ ચીંધ્યો તે હંમેશા વિકાસના પથ પર લઇ જશે. જે કુનેહ અને સૂઝ સમજથી તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઇ જવા સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મક્કમ પગલાં ભર્યા. સરદાર સાહેબે જુનાગઢ-હૈદરાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્રીય એકતામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. ૧૯૫૦ માં અચાનક વલ્લભભાઇને હદયરોગનો હુમલો આવતાં, તેઓ રાષ્ટ્રમાંથી સદાને માટે વિદાય થયા.

No comments: