Wednesday 28 October 2015

૨૮ મી ઓક્ટોબર

ભગિની નિવેદિતા

             યુરોપના ભોગવિલાસ છોડી ભારતની આજીવન સેવા કરવા માટે, સ્વામી વિવેકાનંદ પાસે હિંદુ ધર્મની દીક્ષા લેનાર મહાન વિદુષી કુમારી ભગિની નિવેદિતા (મિસ માગરિટ નોબલ) નો જન્મ તા.૨૮-૧૦-૧૮૬૭ના રોજ આયર્લેન્ડના એક નાનકડા ગામમાં થયો હતો. હિંદુ સ્ત્રીઓમાં શિક્ષણ અને સંસ્કાર ફેલાવવા કલકતામાં ભગિનીગૃહ સ્થાપ્યું. હિંદની પ્લેગ, રેલ અને મેલેરિયા જેવી આપત્તિઓમાં તેમણે ખડેપગે જે સેવા ઉઠાવી તે તો કદી પણ ભૂલી શકાય તેમ નથી. તેમણે જે ૧૧ પુસ્તકો અને અનેક લેખો  લખ્યા છે તેમાં ભારતનો આત્મા જ પ્રકશે છે. ૧૩-૧૦-૧૯૧૧ની સવારે  એમનું અવસાન થયું. 

No comments: