Tuesday 6 January 2015

૩ જી એપ્રિલ

શંભુપ્રસાદ દેસાઇ

                        લબ્ધપ્રતિષ્ઠત સાહિત્યકાર અને ઇતિહાસવિદ શ્રી શંભુપ્રસાદ દેસાઇનો જન્મ ઇ.સ.૧૯૦૮ માં ચોરવાડ મુકામે થયો હતો. બી.એ.ની પરીક્ષા પાસ કરી અમદાવાદની મોડેલ સ્કૂલમાં માનદ શિક્ષક તરીકે જોડાયા. ત્યારપછી તેઓ લોકશક્તિના ઉપમંત્રી થયા. તેમણે બીજી એલ.એલ.બીની પરીક્ષા પાસ  કરી. તેઓએ રાજકોટના કલેક્ટર તરીકે તેમજ ગુજરાત સ્ટેટ વેરહાઉસીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર તરીકે અમદાવાદમાં સેવાઓ આપી. તેમણે કુલ ૪૩ ગ્રંથો લખ્યા છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો ઇતિહાસ, પ્રભાસ અને સોમનાથ, જૂનાગઠ અને ગિરનાર, તારીખ-એ-સોરઠ વગેરે મહત્વપૂર્ણ દસ્તાવેજી ગ્રંથોનો સમાવેશ થાય છે.  

No comments: