Friday 6 December 2013

૫ મી ડિસેમ્બર

શ્રી અરવિંદ ઘોષ

        આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુગપુરૂષ શ્રી અરવિંદ ઘોષનો જન્મ ઇ.સ.૧૮૭૨ માં થયો હતો. લગભદ ચૌદ વર્ષના ઇંગ્લેન્ડ વાસ દરમિયાન અરવિંદ ઘોષ લેટિન અને ગ્રીકમાં પારંગત થવા સાથે અનેક પારિતોષિક મેળવી ભાગ્યશાળી બન્યા હતા.  બંગભંગની ચળવળ બાદ તેઓ ક્રાંતિકારી બન્યા. યુગાન્તર પત્ર દ્વારા સરકારની કડક આલોચના કરી કે તેમને જેલવાસ  ભોગવવો પડ્યો. જેલમાંથી બહાર આવી તેઓ ક્રાંતિકારી મટી યોગી અરવિંદ બની ગયા. પછી પાંડીચેરી તેમની યોગસાધનાનું કેન્દ્ર બન્યું. પછી એમણે અંગ્રેજીમાં કર્મ યોગિન્ તથા બંગાળીમાં ધર્મ નામનું સાપ્તાહિક પ્રગટ કરવા માંડ્યું. તા. ૦૫/૧૨/૧૯૫૦ ના દિને તેમનું  અવસાન થયું.  

No comments: