Monday 26 August 2013

૨૪ મી ઑગસ્ટ

નર્મદાશંકર દવે
               પ્રેમ અને શૌર્યની કવિતાઓ ગાનાર અને નીડર પત્રકાર નર્મદનો જન્મ તા. ૨૪-૦૮-૧૮૩૩ના રોજ સુરતમાં થયો હતો. મિત્રોની સહાયથી તેણે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી, સુરત-રાંદેરમાં નોકરી સ્વીકારી. ટૂંકા ગાળામાં જ નોકરી છોડીને કલમને ખોળે જીવન વીતાવવાનો નિર્ણય કર્યો નર્મદકોશ, નમમર્દ સર્વ સંગ્રહ, નર્મદનું ગદ્ય મંદિર વગેરે તેના ચિરસ્થાયી સર્જનો છે. સુધારાની પ્રવૃતિ અને પ્રગતિ માટે તેણે ડાંડિયાનામનું પત્ર પ્રગટ કર્યું. . ૧૮૮૬ના ફેબ્રુઆરી માસમાં તેમનું અવસાન થયું


No comments: