Tuesday 20 August 2013

૨૧ મી ઑગસ્ટ

કાકા કાલેલકર

         દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ ૧૮૮૫ માં મહારાષ્ટ્રના બેલગામમાં થયો હતો. પિતાની સાથે વિવિધ સ્થળો તેમણે જોવા મળ્યા. આ કારણે તેમનો પ્રવાસ પ્રેમ વધ્યો. તેમણે હિમાલયનો લગભગ ૩૫૦૦ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કર્યો. ખગોળ વિદ્યા,તારાદર્શના ના પણ તેઓ અભ્યાસુ હતા. આના પરિણામ સ્વરૂપ પૂર્વરંગ’, જીવન સંસ્કૃતિ’, જીવનનો આનંદ’, હિમાલયનો પ્રવાસ’, સ્મરણ યાત્રા’, રખડવાનો આનંદ વગેરે અનેક ગ્રંથો કાકાસાહેબે આપણને આપ્યા. સવાઇ ગુજરાતી નું બિરુદ પામેલા સાહિત્યકાર કાકાસાહેબનું ૯૬ વર્ષની વયે ૨૧-૦૮-૧૯૮૧ ના રોજ અવસાન થયું. 

No comments: