Saturday 10 August 2013

૨૭ મી જુલાઇ

સંત પુનિત મહારાજ

                 બાળકૃષ્ણ (પુનિત મહારાજ) ના ભજનો નરસિંહ મહેતાના પદોની જેમ જ લોકભાગ્ય બની જઇને ગુજરાતી ભક્તિ સાહિત્યની એક અમૂલ્ય થાપણરૂપ બની ગયાં છે. પોસ્ટ ઓફિસમાં પટાવાળાથી શરૂ કરીને અમદાવાદની મિલોમાં પણ નોકરી કરી. દૈવી શક્તિથી ભજનો રચવા લાગ્યાં, સાથે કંઠ પણ ઊઘડ્યો. જે મળ્યું તેનું પુનિત સેવાશ્રમ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું. દ્ધ્રારિકા અને ડાકોરના પગપાળા સંઘો યોજી એમણે ભક્તિની ધૂન મચાવી. કેવલ રામનામના સહારે સંસારસાગર તરી જનાર એ સંતનું તા. ૨૭-૦૭-૧૯૬૨માં અવસાન થયું.  

No comments: