Monday 26 August 2013

૨૩ મી ઑગસ્ટ

લાભશંકર ત્રવાડી
              લાભશંકર ત્રવાડીનો જન્મ ૨૩-૦૮-૧૮૪૫ ના રોજ અમદાવાદ નજીકના એક ગામડામાં થયો હતો. તેમની અભ્યાસ સિધ્ધિને કારણે હાઇસ્કૂલમાં શિક્ષક બન્યા. ઉત્તરો ઉત્તર બઢતી મેળવતા જઇ તેઓ જજ બન્યા.ત્યાંની પ્રજાએ તેમની અનન્ય સેવા બદલ તેમને દેવ-મુનસફનું અભિધાન આપ્યું હતું. પોતાના ગુરૂ મહિપતરામનું અવસાન થયું ત્યારે તેમની સ્મૃતિમાં લાભશંકરે અમદાવાદમાં મહીપતરામ રૂપરામ અનાથાશ્રમ ની સ્થાપના કરી હતી. નિવૃતિ બાદ અમદાવાદમાં વસી ૧૪૪ જેટલા પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. તેઓમાં લાભશંકરભાઇનું નામ મોખરે છે. અંગ્રેજ સરકારે કૈસરે હિંદ, રાવ બહાદુર અને સર્ટિફિકેટ ઓફ મેરિટના માન આપી એમની બહુમુખી પ્રતિભાને નવાજી હતી.  


No comments: