Monday 26 August 2013

૨૨ મી ઑગસ્ટ

રામશાસ્ત્રી પ્રભુણે

            મહાન ન્યાયમૂર્તિ રામશાસ્ત્રી પ્રભુણેનો જન્મ સતારા પાસેના એક ગામમાં ૨૨-૦૮-૧૭૨૦ ના રોજ થયો હતો. નાનપણથી જ તેઓ બનારસ ગયેલા અને ત્યાં શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્વાન બનેલા.નાનાસાહેબા પેશ્વાના ધર્મખાતામાં નોકરીએ જોડાયા હતા. રામશાસ્ત્રીની વિદ્વતા, ન્યાયપારાયણતા અને નિ:સ્વાર્થતાથી પ્રભાવિત થઇ ને માધવરાય પેશ્વાએ તેમને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા. પેશ્વાઓના રાજ્યોમાંથી વેટની પ્રથા સદંતર બંધ કરવાનું શ્રેય રામશાસ્ત્રીના ફાળે જાય છે. ભેટ-સોગાદોથી અલિપ્ત રહી જેમણે પ્રામાણિકતા અને નિસ્પૃહતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.  

No comments: