Wednesday 14 August 2013

૧૪ મી ઑગસ્ટ


યશોધર મહેતા

           સફળ નવલકથાકાર અને નાટ્યકાર શ્રી યશોધર મહેતાનો જન્મ અમદાવાદમાં ૧૪-૦૮-૧૯૦૯ ના રોજ થયો હતો. બી..ની પરીક્ષા ઉતીર્ણ કરી વકીલાતનો વ્યવસાય સ્વીકાર્યો. ભારત સરકારે ઓફિશિયલ લૅંગ્વેજ લેજિસ્લેટિવ કમિશન ના સભ્ય તરીકે તેમજ ગુજરાત સરકારે મિનિમમ વેઇઝ એડવાઇઝરી બોર્ડ ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી. સમર્પણ ના ઐતિહાસિક નાટકમાં સંવાદની કુશળતા અને જહાંગીર-નૂરજહાં ની આલેખાયેલી પ્રણય કથા ધ્યાન ખેંચે તેવી છે. સરી જતી રેતી’, વહી જતી જેલમ’, સંધ્યારાગ’, જેવી નવલકથા, ઘેલોબબલ’, મંબોજંબો  જેવા નાટકો તેમજ નવલિકા,પ્રવાસ,ચરિત્રો, પરની કૃતિઓ કલાત્મક રીતે રજૂ કરેલ છે. ઇ.સ. ૧૯૮૯ માં તેમનું અવસન થયું. 

No comments: