Tuesday 13 August 2013

૧૩ મી ઑગસ્ટ

માદામ ભીખાઇજી કામા

                ગુજરાતી વીરાંગના માદામ ભીખાઇજી ના હ્રદયમાં બાળપણથી જ દીન દુખિયાની સેવા અને દેશની સ્વતંત્રતાના કોડ ખીલ્યા હતા. લંડનમાં આગ ઝરતાં વ્યાખ્યાનો તેમણે આપવા માંડ્યાં. અમેરિકામાં પણ તેજીલા વ્યાખ્યાનો આપ્યા તેથી તેથી બ્રિટિશ સરકારે તેમને હિંદ આવવાની બંદી કરી. ભારતના અગ્રગણ્ય ક્રાંતિકારીઓએ ત્યાં ભારતની મુક્તિકાજે સક્રિય કામ કરનારી અભિનવ ભારત નામની સંસ્થા શરૂ કરી. માદામ કામા તેના અગ્રણી કાર્યકર હતા. તેમણે પાંત્રીસ વર્ષ સુધી દેશવટો ભોગવ્યો. કોઇ પણ રાજકીય પ્રવૃતિમાં ભાગ નહિ લેવાની શરતે બ્રિટિશ સરકારે ભારત આવવાની પરવાનગી આપી. આઠ માસની બીમારી ભોગવી તા.-૧૩-૦૮-૧૯૩૬ ના રોજ તેમનું અવસાન થયું

No comments: