Wednesday 24 July 2013

૨૪ મી જુલાઇ

ડૉ. જ્યોર્જ વિલ્સન

                         અમદાવાદની ગુજરાત કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. જ્યોર્જ વિલ્સનનો જન્મ ઇ. . ૧૮૭૭માં થયો હતો. આયરલેન્ડની કૉલેજમાં અભ્યાસ કરી સ્નાતક થયા અને તેમને ભારતમાં ઉપદેશક અને મિશનકાર્ય માટે નિમણૂંક મળી. તેમની ફોટોગ્રાફીએ ખેડૂતો, કુંભારો, શાકભાજી વેચવાવાળા, ગધેડાંવાળા વગેરે ગ્રામ્યપ્રજા તથા મંદિરો પાસેના દ્શ્યોનું ભારતીય લોકજીવનનું મોટું દફતર બનાવ્યું છે. તેમના કાર્યની કદરરૂપે તેમને આયલેન્ડની પ્રેસ્બ્ટેરિયન થિયોલોજિકલ ફેકલ્ટી તરફથી ડૉક્ટર ઓફ ડિવિનિટિ ની પદવી પણ એનાયત થયેલી. ૮૨ વર્ષની વયે તા. ૨૪-૦૭-૧૯૫૯ના રોજ સુરેન્દ્રનગરમાં તેમનું દુ:ખદ અવસાન થયું.    

No comments: