Friday 19 July 2013

૧૯ મી જુલાઇ


લચ્છુ મહારાજ
         કથક નૃત્યના કલાગુરુ અને પ્રસિદ્ધ નર્તક શ્રી લચ્છુ મહારાજને પિતાનો કલા વરસો જન્મથી જ પ્રાપ્ત થયો હતો, નૃત્ય અને  સંગીતની કલામાં પ્રવીણતા પ્રાપ્ત કરી ઠુમરી, દાદરા  વગેરે ગાયકીમાં એમની પ્રવીણતા એટલી જ ખ્યાતિ પામી હતી.  એક હી રાસ્તા’,  તીસરી કસમ’, પાકિઝા’, વગેરે અનેક ફિલ્મોમાં એમણે નૃત્ય દિગ્દર્શન કર્યું. માલતી માધવ’, રાધાકૃષ્ણ   લીલા  અને ગૌતમ બુધ્ધ સંબંધી વિષયવસ્તુ લઇને એમણે નૃત્ય નાટિકાઓનું સર્જન કર્યુ.  ભારતીય કિસાન’, ગાંધી કી અમર કહાની’,આમ્રપાલી અને ગોકુલકી ગલી સાંકરી; વગેરે નૃત્ય રચનાઓએ લોકહ્રદયમાં ખૂબ જ સ્થાન જમાવ્યું હતું. તા. ૧૯/૦૭/૧૯૭૮ ના રોજ ૭૭ વર્ષની વયે એમનું અવસાન થયું.


No comments: