Wednesday 5 June 2013

૨૪ મી મે

ગટુભાઇ ધ્રુવ

                 શ્રી ગટુભાઇ ધ્રુવનો જન્મ ઇ. ૧૮૮૧માં અમદાવાદમાં થયો હતો. મેટ્રીકની પરીક્ષા પાસ કરી તેઓ ગુજરાત કૉલેજમાં બી. . થયા, તુરત જ સરકારી નોકરીમાં જોડાયા. તેમના જીવન પર હેમચંદ્રના પુસ્તકોએ, ટાગોરની સાધના અને બાઇબલ ધર્મપુસ્તકે કાયમી અસર કરી હતી. ગુજરાત સ્ત્રી કેળવણીમંડળના મંત્રી તરીકે વર્ષો સુધી સેવાઓ આપી. ઉપરાંત પખવાડિક મુખપત્ર જ્યોતિર્ધર ના તેઓ સતત ૩૧ વર્ષ સુધી સંપાદક રહ્યા. તેઓ સારા વક્તા, ઉતમ લેખક અને પત્રકાર પણ હતા. ગટુભાઇનું આખું આયખું સુધારાની પ્રવૃતિમાં વીત્યું. ગટુભાઇનું દેહાવસાન તા. ૨૪-૦૫-૧૯૬૮ના રોજ થયું. 

No comments: