Wednesday 5 June 2013

૮ મી મે

રવીન્દ્રનાથ ટાગોર

                 આપણાં દેશના રાષ્ટ્રગીત જનગણમન.....ના રચયિતા કવિ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ તા. ૦૮-૦૫-૧૮૬૧ના રોજ બંગાળમાં થયો હતો. શરૂઆતથી જ આગવું શિક્ષણ પ્રાપ્ત કરી ધાર્મિક અને શૈક્ષણિક  વિચારધારામાં મહત્વનો ફાળો આપેલ. કવિતા, નવલકથા, નાટકો, નિબંધો વગેરે પ્રકારનું સાહિત્ય તેમની કલમે રચાયું. ગીતાંજલિ નામે તેમના કાવ્યગ્રંથ  માટે તેમને નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેમનું  સુંદર અને જાણીતું કાવ્ય મારા સ્વપ્નનું ભારત' એ સમયે શિષ્યો અને  પ્રજામાં બહુ પ્રિય હતું. પેરિસમાં એમના ચિત્રોનું પ્રદર્શન ભરાયું અને પછી તો સમગ્ર યુરોપ- અમેરિકામાં એમના ચિત્રો ખૂબ વખણાયા. બંગભંગ આંદોલન વખતે તેમનું રચેલું રાષ્ટ્રગીત પૂરા દેશમાં ગવાતું હતું. ગાંધીજીએ રવીન્દ્રનાથજીને ગુરુદેવબનાવ્યા અને રાષ્ટ્રના પહેરેગીર' તરીકે સંબોધન કર્યું હતું.   

No comments: