Tuesday 26 March 2013

૨૫ મી માર્ચ


નાના ફડનવીસ
        મહારાષ્ટ્રના પ્રખર રાજનીતિજ્ઞ શ્રી નાના ફડનવીસનો જન્મ ઇ.. ૧૭૪૨માં થયો નાનાને બાળપણથી જ રાજકારણ અને વહીવટની તાલીમ મળી હતી. ફડનવીસ એટલે કોષાધ્યક્ષ. સવાઇ માધવરાવ પેશ્વાના સમયમાં નાના સર્વોપરી નેતા અને સર્વસતાધીશ બની ગયા. . ૨૫-૦૩-૧૮૦૦ની મધ્યરાત્રીએ તેમનો દેહાંત થયો.

શ્રીમતી લીલાવતી મુનશી
       લીલાવતી શેઠનો જન્મ તા. ૨૫-૦૧-૧૮૯૯માં અમદાવાદમાં થયો હતો. ગુજરાતના જાણીતા લેખક કનૈયાલાલ મુનશી સામે પુન્ર્લગ્ન કરી સમાજમાં તે સમયે ખૂબ વિવાદ પેદા કર્યો હતો.
      અમદાવાદના ધનાઢય કુટુંબમાં એમનો ઉછેર થયો હતો. ઘેર ખાનગી ટયૂશન દ્ધ્રારા અભ્યાસ કર્યો. તેર વર્ષની ઉંમરે લાલભાઇ શેઠ સાથે લગ્ન થયા હતા. ગુજરાત સામયિકના તે સમયે મુનશી તંત્રીપદે હતા, જેમાં લીલાવતીબહેન સાહિત્યાકારોના વ્યક્તિચિત્રો લખીને મોકલતા હતાં. આ પરિચય પછી પરિણયમાં પરિણમ્યો અને પછી લગ્ન સુધી લંબાયો. ભારતીય વિધાભવનની સ્થાપના મુનશી દંપતીએ કરી હતી. તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાયેલી છે

No comments: