Sunday 17 February 2013

૧૬ મી ફેબ્રુઆરી


સર પ્રભાશંકર પટ્ટ્ણી
                 સાધુપુરુષ પ્રભાશંકર પટ્ટણીનો જન્મ મોરબી ગામમાં થયો હતો. તેઓ વિદ્યાર્થીકાળથી જ તેજસ્વી હતા. એક સામાન્ય શિક્ષક તરીકેની નોકરીથી કારકિર્દીનો પ્રારંભ કરીને તેઓએ ભાવનગા રાજ્યના દીવાનપદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવ્યું હતું. ખેડૂતોની સ્થિતિ સુધારવા તેઓ પોતાથી બનતું બધુ જ કરતા. તેમનો ભાવનગર પ્રત્યેનો પ્રેમ અને મહારાજા ભાવસિંહજી પ્રત્યેની ભક્તિ અનન્ય હતા. ઉચ્ચ અમલદાર હોવા છતાં તેમનું જીવન ખૂબ સાદગીભર્યું હતું.૭૬ વર્ષની ઉંમરે તા. ૧૬-૨-૧૯૩૮ ના રોજ તેમનું અવસાન થયું , ત્યાં સુધી તેઓ ભાવનગર રાજ્યને અને રાજવીને સર્પિત રહ્યા હતા. 

No comments: