Wednesday 20 February 2013

૧૭ મી ફેબ્રુઆરી


જે.કૃષ્ણમૂર્તિ
         વિશ્વચિંતક દાર્શનિક જે. કૃસણમૂર્તિનો જન્મ ઇ.સ. ૧૮૯૫ ના રોજ દક્ષિણ ભારતના મદનપલ્લી ગામમાં થયો હતો. ડૉ.એની બેસન્ટે તેમને શિક્ષણ માટે પસંદ કર્યા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઇસ્ટ અધ્યક્ષ પદ જે.કૃષ્ણમૂર્તિને તારુણ્યાવસ્થામાં જ અપાયું. પરંતુ જીવનની અંતર્જ્યોતિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કરી ઇંગ્લેન્ડ,અમેરિકા અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિદ્યાર્થીઓ સંયમ,સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે. કૃષ્ણમૂર્તિ વ્યાપક અર્થમાં શિક્ષણ શાસ્ત્રી હતા તેઓ કહેતા :”માત્ર પુસ્તકોનું શિક્ષણ ભરોસાપાત્ર નથી ભરોસો અંતરમાંથી આવવો જોઇએ” વિશ્વભરના મહાન દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિનું ૯૦ વર્ષની જૈફ વયે તા.૧૭-૦૨-૧૯૮૬ માં અવસાન થયું.  

No comments: