Monday 28 January 2013

૨૯ મી જાન્યુઆરી


   સર વિલિયમ રોધેન્સ્ટાઇન
          ભારતની કલા સંસ્કૃતિના સક્રિય પુરસ્કર્તા સર વિલિયમ રોધેન્સ્ટાઇનનો જન્મ ૨૯-૦૧-૧૮૭૨ ના રોજ ઇંગ્લેન્ડના એક ગામમાં થયો હતો.તેમણે આત્મ કથાનાત્મક ત્રણ સચિત્ર ગ્રંથો બહાર પાડ્યા છે. ઇંગ્લેન્ડની પાર્લામૅન્ટના હાઉસ ઓફ કોમન્સમાં જહાંગીરના દરબારમાં સર ટોમસ રો ની મુલાકાત એ સૌથી મોટું અને ભવ્ય ભીંત ચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે. તેમના શુભ પ્રયાસથી જ સ્વ. રવિન્દ્રનાથ ટાગોરનો ગીતાંજલી કાવ્યસંગ્રહ પહેલીવાર ઇન્ડીયા સોસાયટી માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અને તેને જગ પ્રસિદ્ધ નોબલ પારિતોષિક પ્રાપ્ત થયુ હતું .  

No comments: